નાંધઈ પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો.

 

તારીખ : ૨૯-૧૨-૨૦૨૩ થી ૦૧-૦૧-૨૦૨૪ દરમ્યાન  નાંધઈ પ્રાથમિક શાળાનો શૈક્ષણિક પ્રવાસ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્રના જોવાલાયક સ્થળોનો સમાવેશ થાય છે. આ પ્રવાસમાં ૪૮ બાળકો અને તમામ શિક્ષકોનો સમાવેશ થાય છે.
દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, ગોપી તળાવ, રૂક્ષ્મણી મંદિર, શિવરાજપર બીચ, માધવપુર બીચ, સોમનાથ જ્યોતિર્લિંગ, ભાલકા તીર્થ, જૂનાગઢમાં દામોદર કુંડ, અશોક રાજાનો શિલાલેખ, ગિરનાર પર દત્તાત્રેય શિખર, ખોડલધામ, વિરપુર, અને  સાળંગપુર ધામની મુલાકાત કરી શાળા તરફ પ્રયાણ કર્યું હતું. આ પ્રવાસ દરમ્યાન બાળકો ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસથી માહિતગાર થયા હતા. જે ચિરકાળ સુધી સ્મરણીય રહેશે.

વિષય : શાળામાંથી યોજાયેલ શૈક્ષણિક પ્રવાસનો વિગતવાર અહેવાલ









Post a Comment

0 Comments